હેલ્થ ટિપ્સ : વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર તરબૂચ ખાવાથી મળે છે તાજગી

- text


ઉનાળામાં દરરોજ તરબુચ ખાવાથી મળે છે અનેક લાભો : તરબૂચનું જ્યુસ પણ હિતકારી

ઉનાળામાં કેરીની સાથે તરબૂચ પણ લોકોનું પ્રિય ફળ હોય છે. તરબૂચમાં મોટા પ્રમાણમાં પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તરબૂચના જ્યુસથી તાજગી પણ મળે છે. તરબૂચથી વાળ અને ત્વચા પણ સ્વસ્થ રહે છે. મીઠા અને રસદાર તરબૂચ જોઈને કોઈને પણ ખાવાનું મન થશે. ત્યારે જાણી લઈએ ઉનાળામાં દરરોજ તરબુચ ખાવાના લાભો.

1. વજન ઘટાડવું

તરબૂચ ખાવાથી વજન ઓછું થાય છે. તરબૂચ ભલે એક મધુર ફળ હોય, પરંતુ તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. ડાયેટિંગ કરનારા લોકોને તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. તરબૂચ ખાવાથી પેટ ઝડપથી ભરાય છે અને પાચનક્રિયા સારી રહે છે. વજન ઘટાડવા માટે તરબૂચ શ્રેષ્ઠ ફળ છે.

2. શરીરને હાઇડ્રેટેડ રહે

તરબૂચમાં પાણીની માત્રા ખૂબ હોય છે. આવી સ્થિતિમાં ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપને પૂરી કરી શકાય છે. તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરને ઠંડક મળે છે. તમારે દરરોજ તરબૂચનું સેવન કરવું જોઈએ.

- text

3. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે

તરબૂચનું સેવન કરવાથી હૃદયની બીમારીઓ ઓછી થાય છે. તરબૂચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તરબૂચમાં લાઈકોપીન એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમને હૃદય રોગથી બચાવે છે. તેનાથી બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને બ્લડ ક્લોટિંગની સમસ્યા ઓછી થાય છે.

4. હૃદયને સ્વસ્થ રાખે

આજકાલ હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘણું વધી ગયું છે. ખૂબ જ નાની ઉંમરે, લોકોને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં જે લોકો તરબૂચનું સેવન કરે છે, તેમનું હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. તરબૂચમાં રહેલું લાઈકોપીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હૃદયને સ્વસ્થ રાખે છે.

5. પાચનમાં સુધારો થાય

ઉનાળામાં પેટ સંબંધિત સમસ્યાઓ ઘણી વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે તરબૂચ અવશ્ય ખાવું જોઈએ. તરબૂચમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે પાચનતંત્ર સ્વસ્થ અને મજબૂત રહે છે. પેટને સ્વસ્થ રાખવા માટે તમારે રોજ તરબૂચ ખાવું જોઈએ.

 

- text