મોરબીના રામ મહેલ મંદિરમાં મહા આરતી કરી રામનવમીની ઉજવણી કરાઈ

- text


બેન્ડની સુરાવલી સાથે કરાઈ મહા આરતી

મોરબી : રામ જન્મ જયંતિ નિમિતે મોરબીના પૌરાણિક રામમહેલ મંદિરમાં મહા આરતી કરી રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી

- text

કોરોનાના 2 વર્ષ બાદ મોરબીમાં આજે ઠેર ઠેર હર્ષોલાસ સાથે રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના દરબાર ગઢ પાસે આવેલ 250 વર્ષ જૂનું પૌરાણિક રામ મહેલ મંદિરમાં આજે બપોરે મહા આરતી કરવામાં આવી હતી જેમાં બેન્ડની સુરાવલી સાથે આ આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ ઉપરાંત રાત્રે 9 વાગ્યે મોરબીનું પ્રખ્યાત બજરંગ ધૂન મંડળનો રામ ધૂંનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમો ભાવિક ભક્તોએ લાભ લેવા રામ મહેલ મંદિરના મહંત નિમાવતભાઈએ અનુરોધ કર્યો છે

- text