મોરબીના તબીબે જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીન ઉજવ્યો

- text


મોરબી : લોકો પોતાના જન્મદીનની ઉજવણી કરવા નિર્થક ખર્ચ કરતા હોય છે.ત્યારે મોરબીના તબીબે પોતાના જન્મદિવસ પર જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ ઠારી જન્મદિવસ ઉજવ્યો હતો.તેમની સેવાકીય પ્રવુતિ બદલ જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.ત્યારે મુળ નવાગામ(લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર દ્વારા તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરી હતી.તેઓ એ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

- text

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે.ત્યારે મોરબીના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફરના પુત્ર ડો.પ્રિન્સ ફેફરે સેવાકાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી,ભાવીનભાઈ ઘેલાણી,નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ,અનિલભાઈ રાચ્છ,હસુભાઈ પંડિત,પપ્પુભાઈ ચંડીભમર,દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

- text