શનાળા બાયપાસ પાસેના ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપો

- text


જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્યએ કલેકટર અને બાંધકામ સમિતિને કરી રજુઆત

મોરબી : ગઈ કાલે જ શહીદ દિવસ નિમિતે મોરબીમાં ઠેર ઠેર વિવિધ ઉજવણી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારે મોરબીના ભક્તિ નગર સર્કલ પાસે બની રહેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપવા મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કલેકટરને રજુઆત કરવામાં આવી હતી

- text

રજુઆતમાં જણાવ્યું હતું કે શહીદ ભગતસિંહે દેશ ને આઝાદી અપાવવા માટે નાની ઉંમરે પોતાના પ્રાણો નું બલિદાન આપ્યું છે ત્યારે મોરબીના બાયપાસ ભક્તિ નગર સર્કલ પાસે બની રહેલ ઓવરબ્રિજને ને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા કલેકટરને રજુઆત કરવામાં આવી છે

- text