રાજ્યમંત્રી શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે

- text


મોરબી : મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ) આગામી તા. 19ના રોજ મોરબી જિલ્લા ખાતે આવનાર છે. ત્યારે તેમનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ તા. 19ને સવારે 5-30 વાગ્યે ગાંધીનગરથી વેજલપર (માળીયા મી.) જવા રવાના થશે. 9 વાગ્યે વેજલપર ખાતે આગમન અને સૂજલામ સૂફલામ યોજના અંતર્ગત રખાયેલ કાર્યક્રમમાં હાજરી આપશે. 11 વાગ્યે નવી કલેકટરની કચેરીના સભાખંડમાં મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક અને બપોરે 12 વાગ્યે મોરબી અને માળીયા (મી.) તાલુકા એટીવીટી આયોજન સંદર્ભે બેઠક, 12-30 વાગ્યે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે જૂના-નવા સાદુળકા ગામના રેવન્યુ રકબો સંદર્ભે બેઠકમાં હાજરી આપશે.

- text

ત્યારબાદ 2 વાગ્યે તેઓ મોરબીથી જામનગર જવા રવાના થશે. બપોરે 3-30 વાગ્યે જામનગર સર્કીટ હાઉસ ખાતે આગમન, સાંજે 4 વાગ્યે જામનગર ક્લેકટરની કચેરી ખાતે જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક અને સાંજે 5 વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજન મંડળની બેઠક હાજર રહેશે. અને કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

- text