મોરબીમાં રાસંગપરનું પ્રખ્યાત રામામંડળ રમાશે

- text


મોરબીના રવાપર-ઘુનડા પર આવેલ શક્તિ ટાઉનશીપ સામે સાહેબ પેલેસ ખાતે રાસંગપરનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં સાહેબ પેલેસમાં રહેતા મનજીભાઈ હરજીભાઈ આદ્રોજા, મધુબેન આદ્રોજા, મયુરભાઈ આદ્રોજા, આશાબેન આદ્રોજાના સહ પરિવાર દ્વારા આગામી તા.૧૬-૦૩-૨૦૨૨ને બુધવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસંગપર રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક મનજીભાઈ આદ્રોજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text