ટંકારામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર માર્ગદર્શન શિબિર યોજાઈ

- text


ટંકારા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારામાં નવા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ માર્ગદર્શન શિબિરનું આયોજન કાકરવામાં આવ્યું હતું.તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ અને યોગ ટ્રેનર બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રવિવારના રોજ ટંકારા સ્થિત નવા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત મોરબી જિલ્લા યોગ કોડિનેટર વાલજીભાઈ ડાભી તથા આર્યસમાજના આચાર્ય રામદેવ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં રામદેવએ યોગ એ આપણા જીવનનું એક અમુલ્ય અંગ છે.તે વિશે અને અષ્ટાંગ યોગ વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ અને યોગ ટ્રેનર બનવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેમજ રોગ અનુસાર યોગ અને પ્રેકટીકલ પણ કરાવેલ હતી.જે યોગ સાધકોને આનંદદાયક રહી હતી.આ એક દિવસીય યોગ શિબિરનું પૂર્ણાહુતિ એક નવા સંકલ્પ સાથે કરવામાં આવી.આ ટંકારા તાલુકા ખાતે કરવામાં આવેલ યોગ શિબિર માટે યોગ કોચ કંચનબેન સારેસા તેમજ ડિમ્પલબેન સારેસાએ જહેમત ઊઠાવી હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા તાલુકામાં યોગ ટ્રેનર બનવા ઈચ્છતા લોકોએ કંચન એમ.સારેસા (9558926180/9687442735)નો સંપર્ક કરવો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text