હળવદમાં સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ નિમિત્તે મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પ

- text


સેવાભાવી સંસ્થાઓ અને હોસ્પિટલના સહયોગથી આયોજન

હળવદ : સ્વામિનારાયણ પ્રસાદી મંદિર(જુનું ટાવરવાળુ)દ્વારા વાર્ષિક પાટોસત્વનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ સેવાકિય કાર્યો પણ રાખવામાં આવ્યા છે.જે અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

સ્વામિનારાયણ પ્રસાદી મંદિર(જુનું ટાવરવાળુ),રોટરી ક્લબ ઑફ હળવદ,બજરંગ દળ,વિશ્વ હિન્દુ પરિષદ હળવદ,ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ,કણબીપુરા યુવા ગ્રુપ,સહજાનંદી યુવાનો હળવદ,પાટિયા ગ્રુપ અને યુનિક હોસ્પિટલ હળવદના સયુંકત ઉપક્રમે વાર્ષિક પાટોસત્વ મહોત્સવના ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ આગામી તા.8ને મંગળવારના રોજ સવારે 8:30 થઈ 1 વાગ્યા સુધી પાટોત્સવ,મહા ઉત્સવના સ્થળ પર,પટેલ વાડી પાસે,તળાવની પાળ ખાતે રાખવામાં આવ્યો છે.

- text