વાંકાનેરના ત્રણ છાત્રો યુક્રેનથી પરત ફર્યા

- text


ભાજપ અગ્રણીઓએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા

વાંકાનેર : વાંકાનેરના ત્રણ વિદ્યાર્થી જે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ હતા. તેઓ યુક્રેનથી સહી સલામત પરત પોતાના વતન વાંકાનેર ફરતા તેઓના પરિવારમાં હર્ષની લાગણી જોવા મળેલ. તેમના દ્વારા જાણવા મળેલ છે કે ભારત સરકાર તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળેલ હતો.

જેમાં વિદ્યાર્થી અનિરુદ્ધસિંહ દિપકસિંહ ઝાલા રહે. કુંભારપરા, તુરાજસિંહ સંજયસિંહ જાડેજા રહે. ગોકુલ નગર અને દિશાંત બીપીનભાઈ ભલગામડા રહે. કિસાન સોસાયટી વાંકાનેરની આજ રોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, વાંકાનેર શહેર ભાજપ પ્રભારી નિકુંજભાઈ કોટક તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, શહેરમાં મહામંત્રી કે.ડી. ઝાલા, દિપકભાઈ પટેલ ઉપપ્રમુખ અરજણભાઈ રાતડીયા, હિરેનભાઈ ખીરેયાએ મુલાકાત લીધી હતી. તેમના પરિવાર દ્વારા યુક્રેનમાં રહેલ ભારતીયોની સતત ચિંતન કરતાં ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text