મોરબીના રવાપરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : એક લાખની ચોરી

- text


ઘરધણી બહાર ગામ ગયાને તસ્કરો કળા કરી ગયા

મોરબી : મોરબીના રવાપર ગામમાં આવેલ સરદારનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કેમેરા, સોના ચાંદીના દાગીના સહિત એક લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.

ચોરીના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રવાપર ગામમાં સરદારનગર -1માં આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટની સામે રહેતા

રૈયાણી મિલનભાઈ રતિલાલભાઈના મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાની બુટી, મંગળસૂત્ર , કેનોન કેમેરો, રોકડા રૂપિયા 40000 અને કપડા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે.

- text

વધુમાં મકાન માલિક બહાર ગયા હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી આરામથી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળે છે.

- text