ટી.એમ.સી સાંસદની ટિપ્પણીના વિરોધમાં વાંકાનેર મામલતદારને આવેદન

- text


વાંકાનેર : ટીએમસી સાંસદ મહુવા મોઈત્રા દ્વારા સંસદમાં જૈન સમાજ ઉપર કરેલી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.આથી જૈન વિર સેના દ્વારા બાઈક રેલી કાઢી મામલતદાર કચેરી વાંકાનેર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તણમૂલ કોંગ્રેસ સાંસદ મહુવા મોઇત્રા દ્વારા સંસદમાં એવું નિવેદન આપવામાં આવેલ હતું કે જૈનોના સંતાનો શેરી ગલીએ નોન વેજ ખાય છે.જૈન સમાજ ઉપર આવી આપત્તિજનક ટિપ્પણી કરી જૈન સમાજ અને સંસદની ગરિમાને હાની પહોંચાડેલ હોવાથીએના વિરોધમાં અહિંસાના પાયા પર રચાયેલા સમસ્ત જૈન વિર સેના દ્વારા આ ગુરુવારે બપોરે ૪ કલાકે દેરાસરજી,ચાવડી ચોક-વાંકાનેર ખાતેથી બાઈક રેલી કાઢવામાં આવી હતી.અને મામલતદાર કચેરી વાંકાનેર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ઉંમરલાયક વડીલો સીધા મામલતદાર કચેરીએ જ પહોંચ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text