મોરબીની નવયુગ સ્કૂલમાં વેલેન્ટાઇલ ડેની પ્રેરણાદાયી ઉજવણી

- text


વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા કરી અને પુલવામા હુમલાના શહિદોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલમાં ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે બાળકો દ્વારા માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી.તથા પુલવામા હુમલાના શહિદ થયેલા આર્મીમેનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં વેલેન્ટાઇલ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અલગ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાળકો દ્વારા માતા-પિતાની પૂજા તેમજ પ્રકૃતિની પૂજા કરવામાં આવેલ હતી.આજના દિવસે ત્રણ વર્ષ પહેલાં બનેલા પુલવામાં બનાવ નિમિતે શહિદ થયેલા આર્મીમેનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અને વાલીમાંથી EX-ARMY હોય તેમને આમંત્રણ પાઠવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફમીત્રોએ જહેમત ઉઠાવેલ હતી.તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાસરે પ્રેરણા પુરી પાડી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text