ટંકારામાં નવનિર્મિત બસ સ્ટેશનનું નામ દયાનંદ સરસ્વતી રાખવાની માંગ

- text


ટંકારા : ટંકારા તાલુકામાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું નામ દયાનંદ સરસ્વતીના નામ પરથી રાખવા બાબતની લેખિત રજૂઆત ટંકારા શહેર – ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના દ્વારા રાજ્યપાલને કરવામાં આવી છે.

- text

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઘણા વર્ષો બાદ ટંકારાને બસ સ્ટેન્ડ મળ્યું છે. ત્યારે વિશ્વમાં ટંકારાને ઓળખ અપાવનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા તાલુકાના બસ સ્ટેન્ડનું ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી’ નામ આવ્યું નથી. અનેક આગેવાનની લેખિત અને મૌખિક લાગણી અને માંગણી હતી. અનેક રજુઆત કરી છતાં તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવ્યું નથી. અને ટંકારા તાલુકાના લોકોની લાગણીને ઠેસ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. તો ટંકારા બસ સ્ટેન્ડનું નામ દયાનંદ સરસ્વતીના નામ પરથી રાખવા અપીલ છે.

- text