- text
મોરબી : કચ્છના અંજારથી માટેલ પદયાત્રા કરીને આવતા શ્રધ્ધાળુને મોરબી માળીયા હાઈવે ઉપર દાદાશ્રી નગર પાસે રામદેવ હોટેલ સામે ટ્રક ચાલકે હડફેટે લેતા શ્રધ્ધાળુનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઈવે ઉપર દાદાશ્રી નગર પાસે રામદેવ હોટેલ સામે ગઈકાલે બપોરે કચ્છના અંજાર તાલુકાના નગાવલાડીયા ગામે રહેતા શ્રધ્ધાળુ લખુભાઈ જીવાભાઈ કાનગડ પદયાત્રા કરીને આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.
- text
અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ પબાભાઈ ભચાભાઈ કાનગડે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- text