અંતે ટંકારા ગ્રામ પંચાયતને ઘરનુ ઘર મળશે

- text


રૂપિયા ૨૨ લાખના ખર્ચે અદ્યતન પંચાયત ઘરનુ ખાતમુહૂર્ત કરાયું

ટંકારા : ટંકારા તાલુકાની સૌથી મોટી ટંકારા ગ્રામ પંચાયત કચેરી જર્જરીત હાલતમાં હોય છેલ્લા પાંચેક વર્ષથી કચેરીનો વહીવટ મંત્રી આવાસમાં કાર્યરત કરવામાં આવ્યો હતો.જ્યા ટૂંકી જગ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય આ અંગે અનેકવાર રજૂઆતો થતા અંતે આજે રૂ.22 લાખના ખર્ચે દયાનંદ ચોકમાં અદ્યતન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું હતું.

મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી તરીકે બ્રિજેશ મેરજાને હવાલો મળતા ટંકારા ગ્રામ પંચાયત માટે તાબડતોબ ૨૨ લાખના ખર્ચ મંજુર કરાતા આજે નવા નિયુક્ત સરપંચ ગોરધનભાઈ ખોખાણીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના હસ્તે નવા અદ્યતન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ કામ ૬ મહિનામાં પુર્ણ થઈ જશે. જેમા બે માળની ઈમારતમા નીચે પંચાયત કચેરી બનશે અને ઉપર મંત્રી આવાસ, સરપંચ મંત્રી સ્ટોર રૂમ અને મિટીંગ હોલ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

- text

આ તકે દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવજી અને રમેશભાઈ મહેતા, પુર્વ સરપંચ કાનાભાઇ ત્રિવેદી, ગોકળભાઈ પટેલ, રાજકીય અગ્રણી પ્રભુ કામરીયા, રૂપસિંહ ઝાલા, ભુપત ગોધાણી, અરવિંદ દુબરીયા, રાણાભાઈ ઝાપડા, હેમંત ચાવડા, મુકેશ લો, દામજીભાઈ ધેટીયા સહિત શહેરના નામાંકિત હસ્તીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

- text