હળવદ ચરાડવાના મહાકાળી આશ્રમમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા

- text


રૂપિયા 60થી 70 હજારની ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમની જગ્યામાંથી તસ્કરો રૂપિયા 60થી 70 હજાર ભરેલી દાનપેટી ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા વનરાજભાઈ વાઘજીભાઈ પઢીયારે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ મહાકાળી આશ્રમના મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી ચોરી કરી ગયા છે. મંદિરની દાનપેટીમાં અંદાજે 60થી 70 હજારની રોકડ હોવાનું જણાવાયું છે.

- text

ચોરીની આ ઘટના મામલે હળવદ પોલીસે વનરાજભાઈ વાઘજીભાઈ પઢીયારની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text