મોરબીના લાલપરમાં અગ્નિસ્નાન કરી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના લાલપર ગામે અગ્નિસ્નાન કરી લેનાર અપરણિત યુવતીનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર ગામે રહેતા ધર્મિષ્ઠાબેન બાબુભાઇ મકવાણા ઉવ.૨૧ નામની અપરણીત યુવતીએ ગત તા.6ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘેર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા પ્રથમ મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text