માળીયાના ભાજપ અગ્રણી દ્વારા પુત્રના જન્મદીવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


માળીયા (મી.) : માળીયાના ભાજપ અગ્રણી દ્વારા પુત્રના જન્મદીવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓએ ગાયોને ઘાસચારો આપ્યો હતો. તેમજ સેવાભાવી સંસ્થાને રૂ. 11 હજારનું દાન આપ્યું હતું.

માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા એ તેના પુત્ર ઓમકુમાર પડસુંબીયાના જન્મદિવસ નિમિત્તે ગૌમાતાને ઘાસચારો નાખવામાં આવ્યો હતો તેમજ સી.ડી.એસ. ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં રુપિયા 11,000 નુ દાન કરેલ હતું.

ઉલ્લેખનીય છે કે આ સંસ્થા મોરબી જીલ્લાના પાટીદાર સમાજની વિધવા બહેનોના સંતાનોને ભણે ત્યાં સુધીનો શૈક્ષણિક ખર્ચ ઉપાડે છે. હાલમા 36 છોકરાઓ તેનો લાભ મેળવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text