નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે ફુલછોડના રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ

- text


મોરબી: નવરંગ નેચર કલબ દ્વારા આગામી તારીખ 9/1/2022ને રવિવારના રોજ સવારે 8:30 થી 01:00 દરમ્યાન ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે,મોરબી ખાતે ફુલછોડ,રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

ખજૂર,મોટા લીંબુ,મલેશિયનસાગ,એરિકપામ,મધુકામિની,મધુનાશી, બીજોરા,બીગોનિયા,ફણસ, નાગરવેલ વગેરેના રોપાનું રૂપિયા ૨૦ લેખે તથા અનેકજાતના ફુલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ,એલોવેરા જેલ,પ્લાસ્ટિકના ચબુતરા,દેશી ઓસડિયા, ખાખરા,આયુર્વેદિક દવા વગેરેનું પણ વેચાણ કરાશે.

માટીના કૂંડા,તાવડી,કોડિયા, ચકલી ઘર વગેરે ચીજવસ્તુઓ ઉપરાંત કાશ્મીરી લસણ,વિવિધ વનસ્પતિના પાંદડાનો પાવડર,વિવિધ સરબતના પાવડર, શાકભાજીના બિયારણો વગેરેનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવશે.

- text

નવરંગ નેચર કલબ ખેડૂતો અને વેચવા આવતા અન્ય લાભાર્થીઓને જગ્યાની વ્યવસ્થા કરી આપે છે. વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ મો.નં.99253 69465નો સંપર્ક કરવો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text