વાંકાનેરમાં સોનલમાંનો જન્મોત્સવ ઉજવાયો

- text


માતાજીની 101 દિવડાની આરતી કરવામાં આવી

વાંકાનેર : વાંકાનેર ખાતે સોનલ બીજના અવસરે સૌ પ્રથમ વાર આઈ સોનબાઈ માંના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તજનો દ્વારા કેક કાપીને જન્મોત્સવ ઉજવાયો હતો તથા 101 દીવાની આરતી કરવામાં આવી હતી.આ આયોજનમાં અલગ અલગ સમાજના ભાઈઓ,બહેનો હાજરી આપી હતી.

વાંકાનેરમાં ગત તા.4ને મંગળવારના રોજ સોનલ બીજના અવસરે ભલગામડીયા પરીવાર દ્વારા સોનલમાંની બીજનું આયોજન કરવામાં આવ્યું હતું.વાંકાનેરમાં સૌ પ્રથમ વાર આઈ સોનબાઈ માંના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ આયોજનમાં અલગ અલગ સમાજના ભાઈઓ,બહેનો હાજરી આપી હતી.જેમાં આમંત્રિત મહેમાનોમાં રાજગોર જ્ઞાતીના ભાઈઓ,ચારણ ગઢવી સમાજના ભાઈઓ,ક્ષત્રિય સમાજના ભાઈઓ હાજરી આપી હતી.માતાજીની 101 દિવડાની આરતી કરવામાં આવી હતી તથા માતાજીના જન્મોત્સવની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text