પાનેલી અને રંગપર નજીકના વિસ્તારોમાં બુધવારે વીજ પુરવઠો રહેશે બંધ

- text


મોરબી : મોરબી જેટકો હેઠળના વિસ્તારોમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

66 કેવી પાનેલી હેઠળના વીજ કનેક્શનો તા.22ને બુધવારે સવારે 6થી સાંજે 6 , 66કેવી રંગપરમાંથી નિકળતા 11 કેવી ક્રિપ્ટૉન ,જીબોન,યુરો,રામ, શક્તિ,લોરિસોન સહિતના વીજ કનેક્શનો તા.22ને બુધવારે સવારે 8થી 12 વાગ્યે, 66કેવી રંગપરમાંથી નીકળતા 11કેવી લેવિટા, લીવેંન્જા, ફિનોલાઈટ, લેમસ્ટોન, સ્પેસિફિક, લેક્ટોન, સ્પેરિટા, લિનિયા સહિતના વીજ કનેક્શનો તા.22ને બુધવારે બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. તેમ કાર્યપાલક ઇજનેર (પ્રવહન) વિભાગીય કચેરી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text