મોરબીમાં સોસાયટીઓને જોડતા ચાર માર્ગોનું કાલે શનિવારે ખાતમુહૂર્ત

- text


રાજયમંત્રી મેરજા તેમજ નગરપાલિકાના પદાધિકારીઓના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત થશે

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે શનિવારે શહેરની જુદીજુદી સોસાયટીઓને જોડતા ચાર માર્ગોના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.જેમાં રાજયમંત્રી મેરજા તેમજ નગરપાલિકાના પદાધિકારીઓના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત થશે.

મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે તા.27 ને શનિવારે ચાર માર્ગોના કામના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહેરના હીરાસરી રોડ-રવાપર રોડથી અવની ચોકડી, ત્રિકોણનગર સોસાયટી-કેનાલ રોડ, ન્યુ મારુતિનગર-વાવડી રોડ અને ધર્મસુષ્ટિ-બાયપાસ રોડના કામનું રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમનો, સભ્યોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text