મોરબી જિલ્લામાં કોરોનાનો એક દર્દી ડિસ્ચાર્જ, હજુ બે એક્ટિવ કેસ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં દિવાળી બાદ કોરોનાના ત્રણ કેસ સામે આવ્યા હતા. જેમાંથી એક દર્દી સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હવે મોરબી જિલ્લામાં બે એક્ટિવ કેસ વધ્યા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

- text

મોરબી જિલ્લામાં લાંબો સમય રાહત રહ્યા બાદ દિવાળીની રજા પછી કોરોનાએ ફરી દેખા દીધી હતી. એક પછી એક જિલ્લામાં કોરોનાના ત્રણ કેસો નોંધાયા હતા. જો કે છેલ્લા ચારથી પાંચ દિવસથી જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. દિવાળી બાદ નોંધાયેલા ત્રણ કેસોમાંથી એક દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. જેથી હવે જિલ્લામાં બે એક્ટિવ કેસ રહ્યા છે. વધુમાં સરકારી ચોપડે નોંધાયેલી વિગત મુજબ મોરબી જિલ્લામાં કુલ નોંધાયેલા કેસનો આંક 6505 થયો છે. સાજા થયેલા કેસની સંખ્યા 6162 થઈ છે. મૃત્યુ પામેલા દર્દીની સંખ્યા 87 છે.

- text