નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા આધેડનું મોત

- text


હળવદ હરીદર્શન હોટલ પાછળ બનેલી ઘટના

હળવદ : હળવદ શહેરની હરીદર્શન હોટેલ પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા આધેડનું પગ લપસી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના શંકરપરા વિસ્તારમાં રહેતા સલીમભાઇ ઉસ્માનભાઇ લોલાડીયા, ઉવ-૫૦ ગઈકાલે હરિદર્શન હોટલ પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા ત્યારે પગ લપસી જવાથી પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text