ટેકઝા સિરામીક ફેકટરીમાં આગથી 50 લાખનું નુકશાન

- text


રાતાવીરડા ગામ નજીક આગ લાગવાના બનવામાં જાણવા જોગ દાખલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક ફેકટરીમાં આગ લાગવાના બનાવમાં રૂપિયા 50 લાખની નુકશાની થવા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

ટેકઝા સિરામીક ફેકટરીમાં આગના બનાવ અંગે મોરબીના રવાપર ઘુનડારોડ ઉપર રહેતા કૌશીકભાઇ પ્રભુભાઇ ભાલોડીયા જાણવા જોગ નોંધ કરાવી છે. જેમાં જણાવાયું છે કે, સાઇજીંગ વિભાગમાં આગ લાગવાનો બનાવ બનતા પ્લાસ્ટીક પેલેટ કુલ નંગ-1500 તથા કોરૂગેટેડ બોક્ષ નંગ-2500 તથા ટેપીંગ મશીન નંગ-3 સળગી ગયેલ હતા ઉપરાંત ફેકટરીના ઉપરના ભાગે સિમેન્ટના પતરા તુટી ગયેલ અને લોખંડની ઇંગલો વળી જતા અંદાજે રૂ.50 લાખનું નુકશાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text