- text
મોરબી : મોરબીમાં આવતીકાલે મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા પ્રજાલક્ષી કાર્યોનો પ્રદર્શની કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે સવારે 9 કલાકથી રાત્રે 10 કલાક સુધી ચાલુ રહેવાનો છે. આ કાર્યક્રમને માણવા શહેરીજનોને ભાજપ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
- text