મોરબીની સિવિલમાં કાલે મંગળવારથી કાર્ડિયોલોજીસ્ટની પણ સેવા મળશે

- text


મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે તા. 14થી કાર્ડિયોલોજીસ્ટ ડો. ખંડેલવાલની માનદ સેવાઓ ઉપલબ્ધ થશે. હદય રોગ, વાલ્વની બીમારી, હાઈબીપી, હદયના અનિયમિત ધબકારા, વારંવાર છાતીનો દુખાવો થવો તે પ્રકારના દર્દીઓ તથા હદય અને લોહીની નળીના રોગોને લગતા દર્દીઓને ડોકટર દ્વારા ફ્રી ઓફ ચાર્જ તપાસવામાં આવશે અને નિદાન કરવામાં આવશે.

- text

કાર્ડિયોલોજીસ્ટ ડોકટર રવિવાર તથા જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં દરરોજ સવારના 9થી 10 કલાક સુધી સિવિલ હોસ્પિટલ ખાતે રૂમ નંબર 9માં મળી શકશે. આ સેવાનો લાભ લેવા જાહેર જનતાને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દૂધરેજીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text