પરિણીતાના આપઘાત કેસમાં પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ

- text


વાંકાનેરના ઘીયાવડ ગામની ઘટના અંગે મૃતક પરિણીતાના ભાઈએ નોંધાવી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડ ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતક પરિણીતાના ભાઈએ મૃતકના પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી પતિ અને સાસરિયા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ઘીયાવડ ગામેં રહેતી મનીશાબેન સામતભાઇ બાવરીયાએ થોડા દિવસો પહેલા ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં તેણીના ભાઈ હર્ષદભાઇ ચકુભાઇ થોરીયા (ઉ.વ.૨૪, ધંધો.મજુરી, રહે.ઘીયાવડ, તા.વાંકાનેર) એ પોતાની બહેનના પતિ-સામત બુટાભાઇ બાવરીયા, દિયર-ચોથાભાઇ બુટાભાઇ બાવરીયા, સસરા-બુટાભાઇ દેવાભાઇ બાવરીયા, સાસુ- ધકુબેન બુટાભાઇ બાવરીયા (રહે.બધા ધીયાવડ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, મૃતક ફરીયાદીની બહેન મનીશાબેન સામતભાઇ બાવરીયાને આરોપીઓએ એકસંપ કરી ઘરકામની નાની નાની બાબતોમાં મેણાટોણા મારી દુ:ખ, ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરણ જનારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ- ૩૦૬, ૪૯૮(એ), ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text