મોરબીના વાડી વિસ્તારમાં ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના

- text


મોરબી : મોરબીના વાડી વિસ્તારમાં ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને વિધિવત બન્ને મૂર્તિઓનું સ્થાન કરી, પૂજા વિધિ કરી સ્થાનિક અગ્રણીઓએ ભારતમાતા તેમજ સ્વામી વિવેકાનંદની ભાવ વંદના કરી હતી.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મોરબી નગર ખાતે સ્કાય મોલની બાજુમાં હદાણીની વાડીએ ભારતમાતા અને વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની મહારાજ દ્વારા વિધિ કરી સ્થાપના કરવામાં આવી હતી. આ તકે વાડી પ્રમુખ હસુભાઈ કંઝારિયા અને તમામ વાડીના સભ્યો, યોગેશભાઈ સોનાગ્રા, દિનેશભાઈ સોનાગ્રા, દિપેશભાઈ સોનાગ્રા, રાજભાઈ પરમાર, વિજયસિંહ પઢીયાર, બલદેવસિંહ ઝાલા અને સત્યજીતસિંહએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text