“આપ”ની જન સંવેદના યાત્રાને બહોળો જનપ્રતિસાદ

- text


માળિયાના નવા અને જૂના દેરાળા ગામમાં આપની જન સંવેદના યાત્રા યોજાય

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારને ઢંઢોળવા જન સંવેદના યાત્રાનું આયોજન કરાયું છે. જેને મોરબી જિલ્લામાં બહોળો જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે. માળિયાના જુના અને નવા દેરાળા ગામે આયોજિત જન સંવેદના યાત્રામાં લોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા અને અનેક લોકો આપ સાથે જોડાયા હતા.

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા જન સંવેદના યાત્રા ચાલુ કરેલ છે જેનો તમામ ગામોમાં સારો પ્રતિસાદ મળેલ છે. જેમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નવા દેરાળા તેમજ જુના દેરાળા ગામની જન સંવેદના મુલાકાત કરી હતી. જેમા આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા મહામંત્રી જસવંતભાઈ કગથરા તેમજ જિલ્લા મંત્રી રાજભા ગઢવી અને યુવા કાર્યકર જેનીથભાઈ હાજર રહ્યા હતા.

- text

માળીયાના દેરાળા ગામે આયોજિત જન સંવેદના યાત્રામાં મોડી રાત્રે પણ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત, અનેક યુવાનો અને બુઝુર્ગ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text