ઢુંવા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોનું સ્વાગત કરાયું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણભાઈ તોગડીયા સહિતના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ ખાતે મોરબી જિલ્લા બજરંગદળના પૂર્વ જિલ્લા પ્રમુખ બળવંતસિંહ સિંધવના નિવાસસ્થાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણભાઈ તોગડિયા, રણછોડભાઈ ભરવાડ સહિતના આગેવાનો પધાર્યા હતા. જેમાં બળવંતસિંહ સિંધવને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં મોરબી જિલ્લા મહામંત્રીની જવાબદારી સોંપી સંગઠન મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વાંકાનેરના ઢુંવા ગામે પ્રવિણભાઈ તોગડીયા આવતા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તેમજ ઢુંવા ચોકડી ખાતે કોળી સમાજ, કારડીયા રાજપુત સમાજ, માલધારી સમાજ, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ શિવસેનાના આગેવાનો દ્વારા ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text