ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલને એક વર્ષ પૂર્ણ થતા મોરબીમાં વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના અધ્યક્ષ પદને એક વર્ષ પુર્ણ થતા ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચો મોરબી જીલ્લા દ્વારા સંત કુટીર કબીર આશ્રમ ખાતે મહંત કરશનદાસ બાપુના સાનિધ્યમાં મોરબી નગરપાલિકાના ગાર્ડન કમીટીના ચેરમેન ગીતાબેન મનુભાઇ સારેસાના અધ્યક્ષ સ્થાને વુક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

અનુસુચિત જાતિ મોરચો મોરબી જીલ્લાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, મહામંત્રી રવિભાઇ કે ધુમલ, ઉપપ્રમુખ નટવરભાઇ ચૌહાણ, બળવંતભાઈ સનારીયા, મંત્રી મનોજભાઇ સોલંકી અને જગદીશભાઈ ચાવડા સાથે વોર્ડ નંબર 2ના કાર્યકરોએ ઉપસ્થિત રહી આશ્રમ પરિસરમાં વુક્ષારોપણ કર્યું હતું.

આ સાથે મોરબી જીલ્લા ભાજપના સોશિયલ મીડિયાના સભ્ય જયદીપભાઇ સારેસા એ વીસ્તારના યુવાનો સાથે રહીને રોપેલા વૃક્ષોનુ જતન કરવાની ખાતરી આપી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text