‘આપ’ના નેતાના વિવાદાસ્પદ વિધાન સામે બ્રહ્મસમાજ લાલઘૂમ

- text


મોરબી પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કલેકટર આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ

મોરબી : આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાના ભૂદેવો સામે વિવાદાસ્પદ વિધાનને પગલે સમસ્ત બ્રહ્મસમાજ લાલઘૂમ થઈ ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાના વિવાદાસ્પદ વિધાનના વિરોધમાં મોરબી પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કલેકટર આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.

મોરબી પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કલેકટર આવેદન આપીને રજુઆત કરાઈ હતી કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ બ્રાહ્મણો તથા સનાતન હિન્દૂ ધર્મનું અપમાન થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. જેનાથી સમસ્ત બ્રહ્મસમાજની લાગણી દુભાઈ છે. આથી, સમસ્ત બ્રહ્મસમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગ્રુપે જાહેર જીવનમાં સંકળાયેલા આ નેતાના વિધાનને સખત શબ્દોમાં વખોડી કાઢી તેમના સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text