- text
મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વિચિત્ર બનાવ
મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લક્ષ્મીનગર સોસાયટીમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં મિત્રના ઘરે આગાશી ઉપર બેઠેલા યુવકનું અગાશી ઉપરથી પડી જતા આ કિસ્સામાં સત્ય ઉજાગર કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
- text
મોરબીના નવલખી રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને ખાણીપીણીનો ધંધો કરતા હરિકૃષ્ણભાઇ ઉર્ફે લાલો અશોકભાઇ સાપરીયાના રહેણાક મકાનની અગાસી ઉપરથી પડી જતા રાજેશસિંહ રવિંદ્રસિંહ રાણા (ઉ.વ. 42, ધંધો પ્રા. નોકરી, રહે હાલ વાવડી રોડ, સુમીતીનાથ સોસાયટી, મોરબી)ને માથામાં ઇજા થતા હેમરજ થતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
- text