રામચોકથી વાઘપરાના નાલા સુધીના માર્ગને સ્વામી વિવેકાનંદ રોડ નામકરણ કરાશે

- text


મોરબી પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજુર

મોરબી : મોરબી શહેરમાં રામ ચોકથી વાઘપરાના નાલા સુધીનો રોડને નામ આપવાની દરખાસ્તને મંજૂર થતાં ‘સ્વામી વિવેકાનંદ રોડ’ નામકરણ કરવામાં આવશે.

મોરબી શહેરમાં નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 7માં આવેલ રોડ કે જેની શરૂઆત રામ ચોકથી થઈ વાઘપરાના નાલા સુધીનો રોડ છે, તે રોડનું કોઈ નામ ન હોવાથી રહેવાસીઓને એડ્રેસ આપવામાં મુશ્કેલી પડતી હતી. આથી, તેનું નામ સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી. રોડ) કરી આપવાનો મુદ્દો જનરલ બોર્ડમાં લેવા અંગે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કાઉન્સિલર આશિફભાઈ ઘાંચી દ્વારા ચીફ ઓફીસરને રજૂઆત કરવામાં આવી હતી. જે દરખાસ્તને જનરલ બોર્ડમાં મંજૂરી આપવામાં આવી છે. આથી, રામ ચોકથી વાઘપરાના નાલા સુધીના રોડનું નામકરણ સ્વામી વિવેકાનંદ રોડ કરવામાં આવશે.

- text

 

- text