- text
મોરબી : મોરબી શહેરમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.
- text
મોરબીમાં રણછોડનગર ખાતે રહેતા 35 વર્ષીય મનસુખભાઇ પ્રેમજીભાઇ ઉધરેજા એ ગઈકાલે તા. 22ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
- text