- text
હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામના યુવકે બ્રાહ્મણી-2 ડેમમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની મળતી માહિતી મુજબ નીતિનગિરી વિનોદગીરી ગોસાઈ (ડીગા મહારાજ) (ઉ.વ. 34, રહે. સાપકડા, હાલ રુદ્રા ટાઉનશીપ, તા.હળવદ)એ ગઈકાલે તા. 11ના રોજ રાત્રે સુંદરગઢ ગામ નજીક પુલ પરથી ડેમમાં છલાંગ લગાવી હતી. જેની જાણ થતા આખી રાત શોધખોળ બાદ ડેમમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો.
- text
આ બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં પોલીસે લાશના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી છે. તેમજ મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો તે સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
- text