- text
સવારે 5-30 થી સાંજે 7-30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે
રાત્રી-રોકાણ અને ભોજનાલય હાલ પૂરતા બંધ
વાંકાનેર : રાજ્ય સરકારે કોવિડની નોર્મલ પરિસ્થિતિને ધ્યાને લઈને નિયત્રણો હળવા કર્યા છે. ખાસ કરીને આવતીકાલે તા.11 થી ધાર્મિક સ્થાનોને નિયમ પાલન સાથે ખોલવાની છૂટ આપી છે ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામના દ્વાર આવતીકાલેથી ખુલશે અને હાલ પૂરતા માઇ ભક્તો માત્ર માતાજીના દર્શનનો લાભ લઇ શકશે.
માટેલ આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિર દ્વારા સતાવાર જાહેર કરેલી યાદી મુજબ વાંકાનેરના માટેલ ધામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર આવતીકાલે તા. 11 જૂનથી ભક્તોના દર્શન માટે સરકારના નિયમોના ચુસ્ત પાલન સાથે ખુલ્લું મુકવામાં આવશે. જેમાં માઇ ભક્તો સવારે 5-30 થી સાંજે 7-30 કલાક સુધી માટેલ ધામમાં આવેલ ખોડિયાર માતાજીના દર્શન કરી શકશે.
- text
મંદિરમાં ફરજિયાત માસ્ક કે રૂમાલ બાંધવાનો રહેશે અને મંદિરમાં દર્શન કરીને તુરંત નીકળી જવાનું રહેશે. માતાજીની આરતીમાં કોઈ ભક્તજનોને બેસવા દેવામાં નહિ આવે. હાલ પૂરતા મંદિરમાં રાત્રીરોકાણ અને ભોજનાલય બંધ રહેશે. તેમજ મંદિરમાં 50 યાત્રીથી વધુને પ્રવેશ આપવામાં નહિ આવે તેમ માટેલ ખોડિયાર મંદિરના ટ્રસ્ટીની યાદીમાં જણાવાયું છે.
- text