માટેલ નિવાસી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ખાતે રહેવા-જમવાની સુવિધાયુકત છાત્રાલયવાળી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ ચાલુ છે. જેમાં અભ્યાસ તથા છાત્રાલયની સુવિધા સંપૂર્ણ મફત આપવામાં આવે છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે 1 થી 8 મા પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ છે.

- text

વાંકાનેરમાં સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ધોરણ 1થી 8ની છાત્રાલયવાળી નિવાસી પ્રકારની શાળા છે. શાળામા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 1થી 8માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. શાળા માં ધોરણ 1થી 8ના કુમાર તથા કન્યા માટે અભ્યાસ તથા ઉત્તમ પ્રકારની છાત્રાલયની સુવિધા સંપૂર્ણ મફત છે. જેથી, પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીએ આચાર્ય જીજ્ઞેશભાઇ એ. આદ્રોજાનો મો. 94295 77892 ઉપર સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે ધોરણ 1થી 8 પ્રવેશ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text