- text
પ્રેમજીનગરથી ઉઘાડે પગે નીકળી જનાર શ્રમિક વતન પહોંચે તે પહેલાં અનંતની વાટે પહોંચી ગયો
મોરબી : મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામમાં રહેતા યુવક ઘર છોડી ચપ્પલ પહેર્યા વિના નીકળી ગયેલા હતા. ત્યારબાદ ભૂખ, તરસ અને તડકો લાગવાના લીધે મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે.
- text
મૂળ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામના વતની હાલ મોરબીના પ્રેમજીનગર ગામમાં ભાડાના મકાને રહી મજૂરી કામ કરતા 22 વર્ષીય નિલેશભાઇ રાજેશભાઇ તડવીને વતનમાં જવુ હતું. જેથી, તેઓ ગત તા. 29ના રોજ મોડી રાત્રીના ઘરેથી ઉઘાડા પગે જતા રહેલ હતા. ઘરેથી નીકળી ગયા બાદ ખાધા-પીધા વગર રહેલ હતા અને ખુબ જ તડકો લાગવાથી તેનું ગઈકાલે તા. 31ના રોજ જાંબુડીયા ઓવર બ્રીજ પાસે નવા આર.ટી.ઓ.ના ગ્રાઉન્ડમાં મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text