દ્વારકા કાળીયા ઠાકરને વસ્ત્ર પરિધાન કરાવશે હળવદ પટેલ પરિવાર

- text


1 જૂનના રોજ દેત્રોજા પરિવાર દ્વારકાધીશજીને પીળા વસ્ત્રો પરિધાન કરાવશે

હળવદ : જગતમંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તોની ભીડ ઉમટે છે ત્યારે જગત મંદિરે ધ્વજાજી અને કાળીયા ઠાકરને વસ્ત્ર પરિધાન કરવાનો લ્હાવો ભાગ્યે જ મળતો હોય છે. તેવામાં હળવદના પટેલ પરિવારને કાળીયા ઠાકરને પીળા વસ્ત્રો ધારણ કરાવવાનો લ્હાવો મળતા ખુશીની લહેર છવાઈ છે.

- text

ચારધામ યાત્રામાં દ્વારકાધીશજીનું જગત મંદિરનું અનેરું સ્થાન છે. ભગવાન દ્વારકાધીશને દરરોજ વાર અને ઋતુ મુજબ જુદા-જુદા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 1.6.2021 ને મંગળવારના રોજ રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીને પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવનાર હોય અને આ વસ્ત્ર ધારણ કરાવવાનો અવસર હળવદ ખાતે માર્કેટીંગ યાર્ડમાં દ્વારકાધીશ ટી વાળા નયન ઠાકરશીભાઈ દેત્રોજા પરિવારને મળતા પટેલ પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.

- text