- text
ટંકારાના હડમતીયા ગામની કરુણ ઘટના
ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં દાદીનું નિધન થતા એકલતા અનુભવતા પૌત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
- text
હડમતીયા ગામે રહેતા વિજયભાઈ જનકભાઇ સોલંકી નામના યુવાને ગઈકાલે તા. 26ના રોજ ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું છે. મૃતક વિજયભાઈ પોતાના બા (દાદી) સાથે રહેતા હતા અને એકાદ માસ પહેલા તેમના બા ગુજરી ગયા હતા. આથી, પોતે એકલા થઇ જતા ગુમસુમ રહેતા હતા અને તેમને એકલાપણુ લાગતુ હોય. જેથી, આવેશમાં આવી જઈ તેમને અંતિમ પગલું ભર્યું હોવાનું તેમના પિતા જનકભાઈ સરવેરામભાઈ સોલંકીએ પોલીસને જણાવ્યું છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text