મોરબી : રસીકરણની કામગીરી કાલે બુધવારને બદલે ગુરુવારથી શરૂ થશે

- text


તંત્ર વાવાઝોડામાં સ્ટેન્ડ બાય હોવાથી એક દિવસનો વિલંબ

મોરબી : રાજ્ય ઉપર વાવાઝોડાની ઘાત ચાલી રહી હોય તંત્ર તેની કામગીરીમાં વ્યસ્ત હોવાથી આવતીકાલે બુધવારથી રસીકરણની કામગીરી શરૂ થઈ શકશે નહીં.

- text

ગુજરાતમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી આવતીકાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી હવે તા.20 મેને ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે. તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

- text