- text
વાંકાનેર : રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના ગુમશુદા યુવકનો ખખાણા અને મચ્છુ ડેમ-1ના કાંઠેથી મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
- text
નાકરાવાડી ગામમાં રહેતા 27 વર્ષીય કાનજીભાઇ રઘુભાઇ બાવરવા ગત તા. 15ના રોજ રાત્રીના બારેક વાગ્યાના સુમારે કોઇને કહ્યા વગર ઘરેથી જતા રહેલ હતા. ત્યારબાદ મચ્છુ ડેમના કાંઠેથી તેઓની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસે બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text