મોરબીની જાણીતા નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુ.માં કાલથી ધો.11 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


ત્રણેય સ્ટ્રીમમાં આકર્ષક સ્કોલરશીપ પણ મળશે : વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ

મોરબી : મોરબીની જાણીતી નવયુગ શૈક્ષણિક સંસ્થામાં ધો. 11 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની પ્રવેશ પ્રક્રિયા આવતીકાલે સોમવારથી શરૂ થઇ રહી છે. આ ત્રણેય સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓને આકર્ષક શિષ્યવૃત્તિ પણ મળવાપાત્ર હોય વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવા અનુરોધ કરાયો છે.

હાલ સરકારે ધો.10માં માસ પ્રમોશન આપેલ છે. તે અનુસંધાને મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ધો. 11 સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં એડમિશન પ્રક્રિયા તા.17/5/21ને સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેનો સમય સવારે 8.00 થી 12:30 રાખવામાં આવ્યો છે. એડમીશન માટે ધો.9 ની છ માસિક પરીક્ષાનું રિઝલ્ટ સાથે લાવવાનું રહેશે. સાયન્સના એડમીશન માટે નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ પર સંપર્ક કરવાનો રહેશે.

કોમર્સમાં એડમીશન મેળવનાર વિદ્યાર્થીઓને ધો. 9ની સત્રાંત પરીક્ષામાં 90 ટકા ઉપર હોય તો બન્ને વર્ષની સંપૂર્ણ ફી માફી તેમજ ધો.9ની કોઈ પણ સ્કૂલમાંથી સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ હોય તો બે વર્ષની 50 ટકા ફી માફી સહિતની શિષ્યવૃત્તિ રાખવામાં આવી છે. કોમર્સનું એડમીશન શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ નવયુગ વિદ્યાલય તેમજ વિરપર નજીક બાની વાડી પાછળ આવેલ નવયુગ સંકુલ આ બન્ને જગ્યાએ થાય છે. નવયુગ સંકુલ વિરપરમાં ધો. 11 કોમર્સ માટે બપોરપાળીમાં પ્રવેશ મેળવનારને શિક્ષણ ફિમાં મોટી રાહત મળશે. જેમાં વાર્ષિક ફી માત્ર રૂ. 15000 રહેશે.

- text

ધો.11 આર્ટ્સમાં બપોર પાળીમાં પ્રવેશ માટે તા.17થી પ્રવેશ પ્રક્રિયા શરૂ. આર્ટ્સમાં પણ કોમર્સ વિભાગની જેમ સ્કોલરશીપના લાભ મળશે. વધુ વિગત માટે નવયુગ સાયન્સ સ્કૂલ મોરબી મો.નં. 99798 76520,
નવયુગ વિદ્યાલય મોરબી મો.નં. 98790 97520, નવયુગ સંકુલ વિરપર મો.નં. 96876 12500, 99257 62635 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text