મોરબીમાં કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની સંભાળ રાખશે બાળ સંભાળ ગૃહ

- text


મોરબી : માેરબી જિલ્લામાં ૦ થી ૧૮ વર્ષ સુધીના કોઈપણ બાળકના માતા-પિતા બંને અથવા કોઈ એક વાલીનું કોરોનાના કારણે અવસાન થયું હોય અથવા માતા-પિતાને કોરોના સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હોય અને બાળકની સાર સંભાળ રાખનાર કોઈ કુટુંબીજનો ન હોય તેવી સ્થિતિમાં બાળકો ને બાળ સંભાળ ગૃહમાં રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

આવા કિસ્સામાં જાગૃત નાગરિકોએ બાળ કલ્યાણ સમિતિ માેરબી, (૧) રાજેશભાઇ બદ્રકિયા: ચેરમેન, ૯૮૨૫૪ ૨૧૦૩૧, (૨) સંજયભાઇ ભાગીયા: સભ્ય, ૯૮૭૯૩ ૮૯૮૯૯, (૩) રાજેન્દ્રસિંહ ઝાલા : સભ્ય, ૯૩૨૮૨ ૭૫૯૧૦, (૪) બિપીનભાઇ વ્યાસ : સભ્ય, ૯૮૨૫૪ ૯૫૩૦૩ (૫) ઇલાબેન કાવર : સભ્ય, ૯૮૨૫૮ ૨૮૭૭૮ નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text

- text