વાંકાનેરમાં રક્તદાન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વાંકાનેરના ગાયત્રી કોવીડ કેર સેન્ટર ખાતે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં રકતદાતાઓએ મોટા પ્રમાણમાં રક્તદાન અને પ્લાઝમા દાન કર્યું હતું

- text

કોરોના મહામારીમાં રક્તની અછતના સર્જાય તેવા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. તે ઉપરાંત કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલ દર્દીઓના પ્લાઝમા પણ દર્દીઓની સારવાર માટે ઉપયોગી હોય જેથી પ્લાઝમા ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન અને પ્લાઝમા દાન કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- text