ટંકારામાં આર્યસમાજ દ્વારા કોરોનાના દર્દી તથા તેના પરિવાર માટે ટિફિન સેવા શરૂ

- text


ટંકારા : ટંકારામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે પોઝિટિવ દર્દી તથા તેમના પરિવાર માટે આર્યસમાજ દ્વારા ટિફિન સેવા પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

- text

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને આર્ય વિદ્યાલયમના પ્રમુખ માવજીભાઈ દલસાણીયાના આર્થિક સહયોગથી તથા આર્યસમાજના આર્યવિરો દ્વારા ટંકારાના ગ્રામજનો માટે ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. જેના ઘરે કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય અને રસોઈ બની શકે તેમ ન હોય તેવા દર્દી માટે ઘરે બેઠા ટિફિન સેવા મેળવવા માટે ચેતનભાઈ સાપરિયા મો.નં. 8469141305, ભાવિનભાઈ ગઢવી મો.નં.9724972472, મનીષભાઈ ગઢવી મો.નં. 8000010614 તથા હિરેનભાઈ ગઢવી મો.નં.7405263610નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text