મોરબી જિલ્લામાં સ્મશાનમાં લાકડા પહોચાડવાનો નિઃશુલ્ક સેવાયજ્ઞ

- text


લાકડા મેળવવા માટે શ્રીરામ ભરોષે સેવા સમિતિનો મો.નં. 98980 37232 ઉપર વોટ્સએપ કરવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લાના સ્મશાનમાં લાકડા પહોચાડવાનો શ્રી રામ ભરોસે સેવા સમિતિ દ્વારા સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. કોઈપણ તાલુકામાંથી વ્યક્તિ આ સમિતિનો સંપર્ક કરી લાકડા મેળવી શકે છે.

- text

મોરબી જિલ્લામાં કોરોનાના કારણે સ્મશાનમાં પણ ટ્રાફિક રહે છે. લાકડાની પણ અછત સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે અંતિમવિધિમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે શ્રી રામ ભરોષે સેવા સમિતિ દ્વારા લાકડા પુરા પાડવાનો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.કોઈ પણ વ્યક્તિ સ્મશાન માટે લાકડાની જરૂરિયાત હોય તો સ્મશાનનું નામ, ગામનું નામ, અંદાજે જરૂરિયાત વગેરે માહિતી મો.નં. 9898037232 ઉપર વોટ્સએપ કે મેસેજથી જાણ કરે તેવો અનુરોધ કરાયો છે.

- text