જેતપરમાં 27મી સુધી દુકાનો માત્ર બપોર સુધી ખુલ્લી રહેશે

- text


મોરબી : કોરોનાની મહામારી દરમિયાન દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આથી, જેતપર ગામમાં આજે બપોરે 1 વાગ્યા પછી સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. તેમજ જેતપર ગામના અગ્રણી વેપારીઓએ આજે તા. 11થી 27 સુધી દુકાન ખોલવાનો સમય સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી રાખવાનું નક્કી કરેલ છે. વેપારીઓએ બપોરે 1 વાગ્યા પછી સદંતર દુકાનો બંધ રાખવાની રહેશે. તેમ જેતપર ગામના વેપારીઓએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text